દરેક વ્યક્તિ ઇચ્છે છે કે એના જીવનમાં હંમેશા ઉજાસ રહે. ક્યારેય કોઈ પણ બાબતમાં તેને અંધકારનો સામનો ના કરવો પડે. પરંતુ ઉજાસ અને અંધકાર તો એક બીજાના સાપેક્ષ છે. તમે અંધકાર છે એટલે ઉજાસનું મહત્વ સમજી શકો છો. હમેશા માટે સૂરજ તમારી સામે જ ઉજાસ આપે તો તમને એનાથી પણ નફરત થઈ જશે. ખરું ને?
અંધકાર છે તો ઉજાસનું મહત્વ આપણે વધારે સારી રીતે સમજી શકીએ છીએ.
મહત્વનું તો હજી કહેવાનું રહી ગયું. ઉજાસ હંમેશા આપણી ઇચ્છા પર નિર્ભર કરે છે. ઘોર અંધકાર છે તો શું થયું? બસ એક દીવો જેમ અંધકારને ઉજાસમાં ફેરવી નાખે છે એવી જ રીતે તમે પણ એક વ્યક્તિ તરીકે આખા સમાજને ઉજાસ તરફ લઈ જવા માટે સક્ષમ છો.
#વિશ્વાસ અને ધૈર્ય રાખો, તમે તમારો ઉજાસ આખી દુનિયામાં ફેલાઈ શકો છો.
#વિશ્વાસ