જરૂરી નથી કે જે વ્યક્તિ પ્રેમને લખી શકે છે
એજ વ્યક્તિ પ્રેમને સમજી પણ શકતું હોય !
ઘણાં બસ ખાલી દુનિયાને બતાવવા માટે લખતા હોય છે,
તો કોઈ દિલમાં પડેલી લાગણીઓને
અભિવ્યક્ત કરવા માટે લખતું હોય છે,
માણસ જેટલો શબ્દોથી રૂપાળો લાગે છે,
એટલો હકીકતમાં હોતો નથી.
ઘણીવાર શબ્દોમાં કઠોર લાગતો માણસ
હકીમતમાં બહુ જ નરમદિલ હોય છે !
વ્યક્તિની ઓળખ તેના શબ્દોથી નહિ,
વ્યક્તિત્વથી થાય છે !!
@ નીરવ પટેલ "શ્યામ" ✍️