બોલીવૂડની ફિલ્મો જોનારાઓને મંદિર ગમતાં નથી,
એટલે જ હવે એ લોકોને ઈશ્વર મંદિરમાં મળતાં નથી.

અહીં તો છે બોલબાલા બોલીવૂડના અશ્લીલ ગીતોની,
એટલે જ હવે એ લોકોને મંદિરમાં ભજન ગમતાં નથી.

પૂજા-પાઠને પાખંડનું નામ આપી પ્રખ્યાત કર્યું બોલીવૂડે,
એટલે જ હવે લોકો આ મંદિરમાં પૂજા-પાઠ કરતાં નથી.

શ્રદ્ધાને અંધશ્રદ્ધાના નામે બહુ વિખ્યાત કરી બોલીવૂડે,
એટલે જ હવે ફિલ્મ જોનારાઓ મંદિરમાં જતાં નથી.


કલ્પેશ વાસાણી 'મીત'

#મંદિર

Gujarati Poem by Vasani Kalpesh : 111566915

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now