#શ્રાધ્ધ
સાથે રહેવાના ઓરતામાં એકલવાયા બનાવ્યા,
અમારી ઊંમરના કારણે અમને વૃધ્ધાશ્રમ બતાવ્યા,
અમારા પોતાનાએ અમને અપમાન કરી તરછોડ્યાં,
રાખ્યા જેને દિલમાં તેણે જ અધવચ્ચે અમને છોડ્યા,
જરૂર પડતાં તેની ખુશીએ અમને કેમેરામાં ઊતાર્યા,
જીવતાં હતા ત્યારે બટકું રોટલા માટે તરસાવ્યા,
હવે મર્યા પછી અમને કાગડો કરી બોલાવ્યા,
અરે,આ તો અમારું શ્રાધ્ધ કરી દુનિયાને જમાડ્યાં,
પછી Miss You My Life કકહીને અમને સ્ટેટસમાં રાખ્યાં,
પણ તેને કોણ સમજાવે અમે તો અવગતે જ ચાલ્યા ગયા!
-જયરાજસિંહ ચાવડા