*છોકરો કાંઈક કમાશે તો 4 પૈસા ઘર મા આવશે.*

અથવા

*4 પૈસા કમાવા માટે માણસ રાત દિવસ કામ કરે છે*

તો સવાલ છે કે આ કહેવાતો માં 4 પૈસા જ કેમ 3 પૈસા નહીં 5 પૈસા નહીં.. ???

તો 4 પૈસા ની આ કહેવત ને વિગતે સમજીએ.

એક પૈસો *કૂવા* માં નાંખવા નો.
બીજા પૈસા થી *પાછળ નું દેવું* (કરજ) ઉતારવા નું.
ત્રીજા પૈસા થી *આગળ નું દેવું* ચૂકવવા નું.
ચોથો(ચાર) પૈસો *આગળ માટે જમા* કરવા નો....

*હજુ વિગતે સમજીએ.*

*1. એક પૈસો કૂવા માં નાંખવાનો.*
એટલે કે પોતાના સંતાન પરિવાર નો પેટ રૂપી ખાડો(કુવો) પુરવા ની વાત છે.

*2. બીજા પૈસા થી પાછળ નું દેવું (કરજ) ઉતારવાનું.*
પોતાના માતા પિતા ની સેવા માટે તેમણે આપણું જતન કર્યું પાલન પોષણ કરી મોટા કર્યા તો તે કરજ ઉતારવા માટે.

*3. ત્રીજા પૈસા થી આગળ નું દેવું ચૂકવવાનું.*
પોતાના સંતાન ને ભણાવી ગણાવી ને આગળ ઉચ્ચ અભ્યાસ માટે. (એટલે કે ભવિષ્યનું દેવું)

*4. ચોથા(ચાર) પૈસા આગળ માટે જમા કરવાનું.*
એટલે કે શુભ પ્રસંગ અશુભ પ્રસંગ, દાન અર્થે, સંતોની સેવા અર્થ, અસહાયની સેવા અર્થે

તો 4 પૈસાની જરૂર આટલા માટે છે.

મારું માનવું છે કે માણસની જવાની છે એટલે કે *21 વરસથી અથવા અભ્યાસ પૂર્ણ કરીને અથવા ચાલુ અભ્યાસથી* કમાવાનું શરૂઆત કરી દેવી જોઈએ.

*લોકો ભલે કહે પૈસો હાથ નો મેલ છે બાકી એની પાસે માંગી ને જોજો તે મેલ એને મોંઘો પડશે * 😜😅... આશિષ

Gujarati Motivational by Ashish : 111562492

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now