#આરામ
સવારના પાંચ વાગે ઊઠીને ઘરનાં કામમાં લાગી જતી વૈશાખી જ્યારે બપોરના પોતાના બંને બાળકો ટ્યુશન જાય ત્યારે આરામ લઇ જ લેતી. બપોરના માંડ એક કલાકનો આરામ લઈને એ પોતાની જાતને રાતના બાર વાગ્યા સુધી કામ કરવા તૈયાર કરી દેતી. બધા ભલેને કહે " બપોરના તો વૈશાખી ને ફોન જ ના કરાય ઉપાડે જ નહી ને!" પણ પોતાના શરીરને કેટલા આરામની જરૂર છે તે પોતાના થી વધારે કોણ જાણે ?