#છોડો

જન્મી અને જર્જર થવાને ઠેલવું તો છે,
આ માટીમાં અમરત્વ જેવું રોપવું તો છે.

દીસે ભલેને ઝાંઝવા રેતીના પટ ઉપર
ધગતા રહ્યા અંધારને ઉલેચવું તો છે.

હેમંતની ઋતુનો ભલે થીજ્યો રહે અનિલ,
પાણી ઉપર જ્યોતિર્મયી પ્રસારવું તો છે.

ભવ ભવ તણાં આ પોતને તો સીવવાને હાં,
શ્રધ્ધાનું સુત્ર સ્નેહથી જ પરોવવું તો છે.

ઉતરી જવાને પાર સૌ રત્નો મૂકી છેટા
તેના જ ઉપર ક્ષેમ વિશે છોડવું તો છે.

- મનોજ શુક્લ.
(૨૯-૧૦-૨૦૦૦)

Gujarati Poem by મનોજ : 111559888

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now