#કતાર
સ્હેજે તરલ પદાર્થ ના રહેતો સવાલમાં,
પકડાય ના નજરથી કે સપડાય જાળમાં.
ચિત્કાર કેળનો અને વિજળીની વંચના
માપી શકું ભલે તું ના રાખે કતારમાં.
ધબકાર વચ્ચે ગામના સ્રોવર રમે ન રાસ,
તો પણ અનુભવાતું એ વ્હેતા પ્રવાહમાં.
આવી, જવું - જે નામ દીધું તે ધરું છતાં,
હું કોણ ? કોણ કહી શકે પ્રાણે અપાનમાં.
આમે અકળ કો' સત્ય ક્યાં સમજાય સ્હેજમાં,
અણસાર વ્યાપનો મળે ક્યાં - ક્યા પ્રમાણમાં.
--મનોજ શુક્લ.
(૫-૧૨-૨૦૦૬)