આજે તો એ વાત ને ત્રીસ વર્ષ ના વ્હાણા વાઈ ગયા... એકવીસમો જન્મ દિવસ હતો એ દિવસે મેશ્વા નો... આખો દિવસ ખુશ ખુશાલ પરિવાર સાથે ગાળીને સાંજે મીત્રો સાથે ઉજવવા ગઇ હતી... ઘરે આવીને જોવે છે તો આખા ઘર ની અગ્નિ દેવે આહુતિ લઇ લીધી હતી.. લાય બમ્બા આગ હોલવી રહ્યા હતા અને આસ પાસ એકઠા થયેલા લોકો ચકિત નજરે શું બન્યું હશે એની અટકળો કરી રહ્યા હતા.. બસ આટલું યાદ હતું તેને બીજા દીવસે સવારે દવાખાના ના પલંગ પર ઉઠી ત્યારે..
નર્સ બહેને તેને તાવ માપી દવા આપતા કહ્યું હતું કે આઘાત ને કારણે તે બેભાન થઈ ગઇ હતી અને તેને દાખલ કરી હતી... તેના ચહેરા ના ભાવ વાંચતા નર્સ એ કહ્યું હતું, " બીજા કોઈ વિચાર મન માં લાવ્યા વગર એ વિચારો કે આખો પરિવાર અને બધી સંપત્તિ નાશ કરીને પણ ભગવાને કયું કર્મ પૂરું કરવા તમને જીવત દાન આપ્યું હશે? " આટલું કહીને તે તો બીજા બીમાર વ્યક્તિને જોવા જતા રહ્યા હતા..
મેશ્વા એ ગંભીરતા પૂર્વક વિચાર કર્યો હતો એમની વાત નો અને આમ આરંભ થયો એક #ઉત્કૃષ્ટ સમાજ સેવિકા ના નવા જીવન નો.. આજે એકાવનમાં જન્મ દિવસે મુખ્ય મંત્રી પાસે સન્માન પત્ર મેળવતા મનોમન એ નર્સ ને વંદી રહ્યા...
#ઉત્કૃષ્ટ