કહેવાયું છે કે અતિની કોઈ ગતિ નહીં એટલે કે અતિશયતા બહુ સારી વાત નથી. સામાન્ય રીતે ગતિ શબ્દ સાંભળતા જ આપણા દીલ દિમાગમાં ઝડપી ગતિનો અહેસાસ થાય છે પણ ગતિ ધીમી કે સાપેક્ષતાની દ્રષ્ટિએ માઇનસ પણ હોઈ શકે છે એ આપણને બહુ જલ્દી મનમાં ઉતરતું નથી. સામાન્ય રીતે બહુ ઉતાવળ ના હોય તો મધ્યમ ગતિ the best છે, ભગવાન બુદ્ધ પણ મધ્યમ માર્ગની જ તરફેણ કરી ગયા છે. કાચબા ગતિ =ધીમી ગતિએ ચાલીએ તો બીજાથી પાછળ રહી જઈએ & ક્યારેક ભૂખ્યા-તરસ્યા રહી જઈએ, તો બહુ ફાસ્ટ ગતિમાં ભાગવાથી ક્યારેક ક્યાંક ભટકાઈ જવાની ભીતિ રહે છે એટલે જ high way ઉપર speed limit ના બોર્ડ મરાય છે કે માપમાં રહેજો >તમારા ઘેર કોઈક તમારી રાહ જોઈ રહ્યું છે. અતિશય fast ગતિથી માણસ કે મશીન વહેલા થાકી - તૂટી જાય છે તો અતિશય slowly રહેવાથી પાછળ રહી જવાની સંભાવના છે. હા, ક્યારેક અસાધારણ સંજોગોમાં જેમ કે દર્દીને કે અંગદાન લઈ જતા ambulance વાહનને કે કોઈ પ્રાણીની પાછળ શિકારી કૂતરા/પ્રાણી પડ્યા હોય કે પાછળ પૂરના પાણી દોડયા આવતા હોય કે ભૂકંપ જેવી પરિસ્થિતિમાં મકાનમાંથી બહાર ભાગવાનું હોય ત્યારે ધીમી ગતિએ ચાલવાનું ચાલી શકે નહીં. તો ક્યારેક સાવ ધીમા રહી જવાનું કે ઉભા રહી જઈને (= 0 speed) પરિસ્થિતિનું આકલન કરીને પછી ડગલું ભરવું સલામતીભર્યું હોય છે, તો વળી પરિસ્થિતિ જોઈને ક્યારેક પીછેહઠ (= minus ગતિ=રણછોડ ) કરી લઈ 2-5 ડગલાં પાછા ભરી લેવા જોઈએ. ગતિનું પરિમાણ માત્ર સ્થૂળ શરીર કે વસ્તુ પૂરતું નથી,મન અને વધુ આગળ આધ્યાત્મિક દ્રષ્ટિએ વિચારીએ તો આત્મા અને પરમાત્મા સુધી પહોંચે છે. મનની ગતિથી આપણે પથારીમાં પડ્યા પડ્યા સૂક્ષ્મ રીતે ક્યાંના ક્યાંય પહોંચી જઈએ છીએ તો અધ્યાત્મ ક્ષેત્રે આગળ વધીને જીવ-આત્મા પરમાત્મા તરફ ગતિ કરી શકે છે એવું આ ક્ષેત્રમાં આગળ વધેલા/ ઉપનિષદ જેવા શાસ્ત્રો કહે છે.વિમાન ઊર્ધ્વ ગમન કરે, અવતરણ કરે તે normal છે પણ ઊંધા માથે પડે =અધોગતિ કરે કે આડું ભાગે >તીર્યક ગતિ કરે કે ઉભું રહેવાનું હોય ત્યારે ભાગે કે ranway બહાર નીકળી જાય તે abnormal છે. આમ પ્રગતિ =ઉન્નતિ=ઊર્ધ્વગતિ=ચડતી , અવગતિ=વિમાર્ગગમન, અધોગતિ =પડતી =અવનતિ , તીર્યક ગતિ= આડી ગતિ, સ્થિર ગતિ(0 speed )એમ વિવિધ રૂપ છે.

Gujarati Whatsapp-Status by jaydip Lakhani : 111556321

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now