સાંભળતા કો'ક ના મૃત્યુ ના સમાચાર....
કેવો લાગે વસમો આઘાત
ભલે હોય એ પારકો...પણ બે ઘડી થીજી જવાય....
હાચુ ને??
જોતા સ્મશાન માં જલતા એ શબ ને....
કેવો લાગે વસમો આઘાત
ભલે હોય એ પારકો.... પણ બે ઘડી થીજી જવાય....
હાચુ ને???
યાદ કરતાં એ વીતેલી ક્ષણોને
ચૂકી જાય એક થડકારો આ હૃદય
એતો ગુમાવેલા પોતાના જન જ ને.....
તોયે કેમ....કેમ આ આતમ નથી માનતો કે આપણે પણ જવાનું છે..??
આપણે પણ બળી જવાનું છે,
થઈ જવાનું છે રાખ,
કેમ નથી માનતો આ આતમ..
આપણે પણ જીવવાનું છે કોઈ,
- ની યાદો થઈ ને.
પૂછયું હતું યક્ષે પણ આજ ધર્મરાજા ને
કેમ ..કેમ...કેમ........આ મનુષ્ય નથી માનતો..નથી સ્વીકારતો...પોતાના મૃત્યુને......??
જુવે રોજ મૃત્યુ,
જુવે જગ રોતાં મૃત્યુ ને,
તોયે......જીવે જાણે કે અમરત્વ ને પ્રાપ્ત કર્યું
છે ને રોમાંચક રહસ્ય !!!!!!