...#... વસુ અવતાર ...#...
આજે મારે વાત કરવી છે વસુ અવતારની...
રુકો... રુકો... રુકો...
આ વસુ... વળી કોણ?? ઘણાને તો ખબર જ નહીં હોય કે આવું પણ કોઇ છે...ખરું ને??
હવે હિન્દુ થઇને આપણને વસુ એટલે શું એ જ ના ખબર હોય તો તો આવી જ બન્યું ને આપણા હિન્દુત્વનું...
અરે આ વસુઓ એટલે એ... જ...
આપણા ૩૩ કોટી દેવતાઓ માંના ૮ દેવ...
અધધધ.... ૩૩ કોટી(કરોડ) દેવતા!!!???
હવે આટલા બધાને ક્યાં યાદ રાખવા....? ખરુંને??
ક્ષમા કરશો મિત્રો... તમારો કોઇ વાંક નઇ..
તો વાંક કોનો? દેવતાઓનો?
આટલા બધા કરોડ હોવું જરુરી હતું?
એકાદ - બે હોય તો ઠીકથી યાદ તો રહે ને? કાં??
તો મિત્રો... નથી કોઇ વાંક તમારો કે નથી ૩૩ કોટી દેવતાઓનો...
બધી મુસીબતની જડ છે આ આપણા ધર્મગુરુઓ... જે બે શબ્દો શીખીને બ્રમ્હાંડનું જ્ઞાન બાટવા નિક્ળ્યા છે...
તો ચાલો આજે જાણીએ... અત્ થી ઇતિ...
વાત જાણે એમ છે કે,
સૃષ્ટિના પ્રથમ વેદ એવા "ઋગવેદ"માં જણાવ્યા મુજબ બ્રમ્હાંડમાં કુલ ૩૩ કોટી દેવતાઓ છે.
હવે આ સંસ્કૃતના "કોટી" શબ્દમાં ઘણા-ખરા સારા-સારા ખાઇ ગયા થાપ. અને "કોટી"નો ભાવાર્થ કર્યો "ક..રો..ડ.."
અરે મૂર્ખાવ જરાક "સાબુ" તો વાપરવો હતો...
હા એ જ... સા.બુ.- સામાન્ય બુદ્ધિ..
કે અહિંયા ઋગવેદમાં "કોટી"નો અર્થ "કરોડ" નહીં અપિતુ "પ્રકાર"(વર્ગ) દર્શાવવામાં આવ્યો છે.
હા ૩૩ કોટી એટલે કે (૩૩ પ્રકારના)દેવતાઓ છે...
એટલે કે ફક્ત તેંત્રીશ જ... દેવતાઓ છે.
જે નીચે મુજબ છે.
૧૨ આદિત્ય
+ ૧૧ રુદ્ર
+ ૮ વસુ
+ ર અશ્વિનીકુમાર.
કુલ = ૩૩.
...
તો હવે મિત્રો...
આવતી પોસ્ટમાં કોના વિશે જાણવાનું પસંદ કરશો...???
આ ૩૩ દેવતાઓને વિસ્તારપૂર્વક જાણવાની ઇચ્છા છે?
કે પછી....
સીધા વસુ અવતાર વિશે જણાવું???
ઇચ્છા આપ સૌની...
જય ભોળાનાથ....
હર હર મહાદેવ... હર...