લગભગ બપોરના બાર વાગ્યા વટસાવિત્રી પૂનમ નો દિવસ હતો સુરેશ નિત્યક્રમ પ્રમાણે તેના મિત્ર ની દુકાને બેઠો હતો એટલામાં એક ફકીર આવ્યો અને સુરેશ ને કહ્યું કે બેટા તું થોડાક દિવસ ઘરની બહાર ના નીકળતો નહિતર તારા ભોળા પણા ની હત્યા થઈ જશે પરંતુ સુરેશે એની વાત ન માની એ જ દિવસે સાંજે એ તેના મિત્રોની સાથે મોટરસાયકલ પર બેસીને પોતાના કામ અર્થે બહાર ગયો અને થોડીવાર પછી પરત આવ્યો સાંજનો સમય હતો લગભગ રાત્રિ ભોજન ની ઘરમાં તૈયારી થઈ રહી હતી અને સુરેશ આવ્યો ઘરમાં તેની પત્નીને કહેવા લાગ્યો કે મને બહુ જ ભૂખ લાગી છે કંઈક જમવાનું બનાય સુરેશ ની પત્નીએ કહ્યું જમવાનું તૈયાર જ છે તમે હાથ-પગ ધોઈ લો એટલે હું તમને જમવાનું પીરસી દઉં અને સુરેશ હાથ-પગ ધોઈને ફટાફટ જમવા માટે આવ્યો જમવાની થાળી પીરસાઈ ગઈ હતી અને સુરેશ એક કોળિયો મોઢામાં લેવા જતો હતો એટલામાં એક મિત્ર આવ્યો અને સુરેશ ને કહ્યું કે ચાલને સુરેશ આપણે આવીએ એક કામ છે બસ આજ સુરેશનું ભોળાપણ તેને પોતાના પરિવારથી હંમેશા માટે દૂર લઈ ગયું સુરેશે તેની પત્નીને કહ્યું ચાલ તો હમણાં આવું છું આપણે પછી સાથે જમીએ અને સુરેશ પીરસાયેલી થાળી મુકીને મિત્રો સાથે જતો રહ્યો સુરેશના ઘર માં તેના ઘરડા મા-બાપ તેની ત્રણ મહિના ની દીકરી અને ચાર વર્ષનો એક દીકરો હતો ઘરડા મા-બાપ દીકરો હમણાં જ આવશે એટલે આપણે બધા સાથે જઈશું એવા સપના જોઇ રહ્યા હતા નાનો દીકરો પોતાના પિતાની રાહ જોઈ રહ્યો હતો પપ્પા આવે ને હું તેમની થાળીમાં જમુ પત્ની રાહ જોઈ રહી હતી એ હમણાં જ આવશે એટલે નિરાંતે સાથે જમીએ અને એટલામાં એક આગંતુક ઘરમાં આવે છે અને પરિવારને કહે છે સુરેશ નો અકસ્માત થયો છે અમે તેને દવાખાને લઈ જઈએ છે બસ આ વાત સાંભળીને જ વટ સાવિત્રી પૂનમની રાત્રે સુરેશના પરિવારમાં અમાસનું અંધારું છવાઈ ગયું આખા ગામમાં વાયુવેગે સમાચાર ફેલાઈ ગયા કે સુરેશને અકસ્માત થયો છે સુરેશ નો પરિવાર નિરાધાર બનીને ઘરમાં બેઠો હતો હમણાં દવાખાનેથી સુરેશ આવશે અને પછી સાથે જમીશું પરંતુ વહેલી સવારના સમાચાર થી સુરેશ નું પરિવાર હચમચી ગયું કારણકે ભોળા સુરેશની લાશ આવી હતી પરિવારમાં હૈયુ ફાટી જાય તેવું રુદન થવા લાગ્યું હતું ચારે બાજુ એક જ વાત લોકોના મુખેથી સંભળાતી હતી સુરેશ બહુ જ ભોળો હતો પરંતુ આજે આ સુરેશ ના ભોળપણ ની હત્યા થઈ ગઈ હતી પરિવાર ભોળા સુરેશ વગર એકલો પડી ગયો હતો બસ હવે આ ઘરડા મા-બાપ નિસહાય પત્ની ત્રણ મહિના ની દીકરી અને ચાર વર્ષનો દીકરો ભોળા સુરેશ ની યાદો ના સહારે જીવન જીવતા શીખી ગયા હતા..... અંતમાં એટલું જ કહીશ કે ભોળા ના ભગવાન છે અને ભગવાન કોઈપણ સ્વરૂપે આપણને મળવા આવતા હોય છે પરંતુ માણસનું ભોળપણ એ સમય અને એ ભગવાન ને ઓળખી શકતો નથી જેવી રીતે સુરેશ ને મળવા આવેલો ભગવાન સ્વરૂપે ફકીર પણ સુરેશ તેને ના ઓળખી શક્યો.... લેખક... શૈલેષ જાની અમદાવાદ

Gujarati Microfiction by Shailesh Jani : 111539470

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now