પપ્પા આ કન્યાદાન જરૂરી છે??
પપ્પા હું થોડીના વસ્તુુ છું જો તમે મને આમજ દાન કરશો!!!
હું તમારા દિલ નો એક ટુકડો છું . પપ્પા યાદ છે જયારે મેં ફર્સ્ટ ટાઈમ પેલી કાચી પાકી રોટી બનાવી હતી તયારે મમ્મી મને ખીજાઈ હતી ને કહેતી હતી કે " હવે તો સાસરે જવાનું છે રસોઈ બનાવતા નથી આવડતું!" , તયારે પપ્પા તમે જ કહીયું હતું ને હું મારા થી કયારે પણ અલગ નહીં કરું ને તમે જ મારી પેહલી કાચી પાકી રોટી ખાધી હતી.. તો પપ્પા આજે કેમ મારા કન્યાદાન ની તૈયાર ......??
હું ને ભાઈ જયારે વાત વાત માં ઝગડો કરતા તયારે તમે મારા જ સપોર્ટ માં હતા . તો આજે કેમ તમારા થી અલગ કરવા માટે બધા સબંધી ને તમે પૂછો કોઈ સારો છોકરો ધ્યાન માં હોય તો કહેજો . ના પપ્પા મારે નથી જવું તમારા બધા થી દૂર .
ક્યાં બાપ ને એની દીકરી એને બોજ લાગતી હશે એટલે એને એની દીકરી ને બીજા ઘરે મોકલી . પણ પછી બધાએ આ તો રિવાજ જ બનાવી નાખ્યો.. શું પપ્પા આપણે આ રિવાજ બદલીએ તો...??? ના પપ્પા હું આ રિવાજ ને નથી માનતી.
પપ્પા ક્યાં શાસ્ત્રો માં લખ્યું છે કે દીકરી ને ઘર છોડવું પડે??? પોતાનાથી જ અલગ થવાનું ??