પહેલાં મને એમ લાગતું હતું કે શિક્ષણ નો વ્યાપ વધશે એમ એમ માણસ વધુ ને વધુ સમજદાર થશે.પણ,આજ ની પરિસ્થિતિ જોતા એમ લાગે છે કે એક શિક્ષિત માણસ જ સમાજ માં સૌથી વધુ અધીરો બની ગયો છે.સમાજ માં શિક્ષણ નો વ્યાપ જેટલો વધ્યો છે.સાથે સાથે માણસ માં ધીરજ પણ ખૂટવા લાગી એમ લાગે.અને
જો પોતાનું ધાર્યું કાર્ય ધારેલાં સમય પર પરિપૂર્ણ ના થયું તો નિરાશ થઈ જાય છે.દરેક વસ્તુ ઇન્સ્ટન્ટ જોઈએ,દરેક પરિસ્થિતિ માં ઇન્સ્ટન્ટ બદલાવ જોઈએ. મતલબ,જે કંઈ પણ જોઈએ તેમજ થાઉં જોઈએ તે બસ ઇન્સ્ટન્ટ જ થાઉં જોઈએ.
રાહ તો કોઈ ને પણ જોવી જ નથી.અને સાથે સાથે ધીરજ પણ કોઈ ને રાખવી નથી.કેમ કે અમુક ચોક્કસ વાત, બાબત,વસ્તુ,વ્યક્તિ કે પરિસ્થિતિ માં પરિવર્તન લાવવાં તેમજ સારી રીતે અને શાંતિ થી જીવન જીવવા માટે ધીરજ રાખવી અને રાહ જોવી આ બંને ગુણ આપણી અંદર કેળવવા ખૂબ જ અનિવાર્ય છે.
આજે માણસ નું ચાલે તો તમામ વાત,બાબત,વસ્તુ,વ્યક્તિ કે પરિસ્થિતિ પર પોતે ધારે તે પ્રમાણે નિયંત્રણ કરવાં ઈચ્છે છે.પણ પોતાની જાત પર કંટ્રોલ નથી કરતો.અને જો
માણસ જાત ધારે તો પ્રકૃતિ પર પણ પોતાનું નિયંત્રણ કરે,પણ એમ થઈ શકે એમ નથી.કેમ કે પ્રકૃતિ તો કુદરત ની દેન છે.
🙏🙏🙏🙏🙏🙏
કેશર કુંજ