#ઈસુ
ઈસુ કહે છે કે :- તમે જ્યારે પણ કોઈ દાન ધર્મ કરો તો ચોરી છુપી થી કરો એવી રીતે કે ડાબા હાથે દાન કરો તો જમણા હાથ ને પણ ખબર ના પડે..
અને પાપ કરો તો છડેચોક જાહેર માં કરો તો એ પાપ ક્યારેય થશે જ નહીં.
પરંતુ આપણે ઉલટું કરીએ છીએ પાપ ચોરી છુપી થી કરીએ છીએ અને દાન ધર્મ જાહેરમાં કરીએ છીએ જેથી લોકો આપણને જુએ અને સમજે કે આપણે કેટલા દાનવીર છીએ ઉદાર છીએ.. તો તમે જે સારૂ કામ કર્યું એનું ફળ તો તમને મળી ગયું ને તમે ઈચ્છતા હતા કે લોકો તમને મહાન સમજે તો એ થઈ ગયું.. પરંતુ તેનું બીજું કોઈ ફળ તમને મળતું નથી.. કારણ કે તમે માત્ર દેખાડો કરવા માટે દાન કર્યું નામના કમાવવા માટે તો એ તમારા કરેલા સત્કર્મ નો છેદ ઉડી ગયો.. કારણ ઈશ્વર તો બધું જ જાણે છે..
અને પાપ કરીએ છીએ ત્યારે એ ભૂલી જઈએ છીએ કે ભલે આસપાસ કોઈ જોતું નથી પરંતુ એ ઈશ્વર બધું જ જોવે છે અને જાણે છે.. અને એ પાપો ની સજા એક ના એક દિવસ જરૂર મળશે..
તો મિત્રો તમે કેટલા સારા છો કેટલા દયાળુ છો એ લોકોને દેખાડવા ની જરૂર નથી.. તમારા ઈશ્વર ને બતાવો એનું ફળ એ તમારો ઈશ્વર આપશે.. અને પાપ કરો તો જાહેરમાં
જેથી કરીને એ પાપ ક્યારેય થાય જ નહીં..
સમજાય તેને વંદન.. 🙏 ✍️ ગીતા પરમાર.. ના જય શ્રી કૃષ્ણ..