...#...શિવ મહાપુરાણ...#...
૧૮ પુરાણોમાંનું એક અનન્ય પુરાણ એટલે શિવપુરાણ.... માહાત્મ્ય એટલું કે આને મહાપુરાણની સંજ્ઞા આપે છે સંતો અને ઋષિ-મુનિઓ.
શિવજીએ સ્વયં શિવમહાપુરાણની રચના કરી છે.અને શ્રી વેદ વ્યાસજીએ તેનું સંક્ષિપ્ત સ્વરુપ આપ્યું છે.આ પુરાણ ૭ સંહિતા,૨૯૭ અધ્યાય અને ૨૪૦૦૦ શ્લોક દ્વારા રચાયેલું છે.
જેનાથી જીવની દશા સુધરે છે.આ કથાના શ્રવણ માત્રથી ભવેભવના પાપોનો નાશ થાય છે.અને જીવ સંસારના સર્વે સુખ પામી અંતે શિવના પરમ પદને પામે છે.જીવની ગતિ શિવમય થાય છે.શિવ અર્થાત કલ્યાણ.જેના નામ માત્રથી સર્વે અભિલાષા પૂર્ણ થાય છે.
શ્રી શિવ મહાપુરાણની કથા એ ભગવાન શિવ તરફની યાત્રાનો પ્રારંભ છે.ભગવાન શિવના દર્શનની કથા છે.જે મન અને શરીરના રોગોને દૂર કરી શાશ્વત શાંતિનો અનુભવ કરાવનાર છે.આ કથા ગાવી, કહેવી, સમજવી કે સમજાવવી અઘરી છે. હત કઠિન, સમુજત કઠિન સાધન કઠિન આમ છતાં કોઇ સાચા સંત કે નિઃસ્પૃહી શિવભક્ત વક્તા દ્વારા સમજવામાં આવે તો જીવનના કેટલાય કોયડાઓનો ઉકેલ આવી જાય છે.શિવ કથા સાંભળતા પહેલા બુદ્ધિ અને અહંને પોતાનાથી અળગા રાખીને સાંભળવાથી જ તેમાં સમાયેલા તથ્યો સમજી શકાય છે. તૂટતી જતી સમાજ વ્યવસ્થાને જોડવાનો રામબાણ ઇલાજ,ભગવાન શિવના ચરિત્રની કથા,એટલે શ્રી શિવ મહાપુરાણની કથા છે. સમગ્ર બ્રહ્માંડમાં ભગવાન શિવનું કુટુંબ જ એક આદર્શ કુટુંબ છે.જે કુટુંબમાં નાના મોટા સૌ કોઇ પુજાયા છે.તેઓ તો પુજાયા એટલું જ નહિ તેમના વાહનો પણ પુજાયા છે.બધાના સ્વભાવ જુદા જુદા હોવા છતાં ભેગાં મળી કેવી રીતે રહી શકાય તેનું માર્ગદર્શન શિવજીની આ કથા આપે છે.
આજના સમયમાં મોટાભાગના લોકો પૈસાને લગતી સમસ્યાઓથી પીડાય છે,દરેક વ્યક્તિ વધુને વધુ પૈસા કમાવવા માંગે છે,જેના માટે તે સખત મહેનત કરે છે પરંતુ તેમને તેમની મહેનત પ્રમાણે તેમણે ફળ મળતું નથી. પૈસાની અછત રહે છે,પરંતુ શિવપુરાણમાં, આવા કેટલાક ચમત્કારિક ઉપાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે જો કોઈ વ્યક્તિ કરે છે,તો તે તેના જીવન સાથે સંબંધિત સંપત્તિ પ્રાપ્ત કરવામાં મદદ કરશે.શિવપુરાણ એ એક એવું શાસ્ત્ર છે જેમાં શિવજી અને આ સમગ્ર સૃષ્ટિને લગતા ઘણા રહસ્યો બતાવવામાં આવ્યા છે.
જો તમે તમારા જીવનમાં રોજ શુભ સમય મેળવવા માંગતા હો,અને દરેક મુશ્કેલીમાંથી છૂટકારો મેળવવા માંગતા હો,તો રોજ રાત્રે શિવલિંગ સામે દીવો જરૂર પ્રગટાવવો અને જીવનમાં આવતા તમામ કષ્ટો હરવા સાચા મનથી મહાદેવ સમક્ષ પ્રાર્થના કરવી જોઈએ.
આ વિષયમાં એક કથા પણ કહેવામાં આવે છે,એવું કહેવામાં આવે છે કે,પ્રાચીન સમયમાં ગુણાનિધિ નામનો નિર્ધન માણસ હતો,એકવાર તે ખોરાકની શોધમાં ભટકતો હતો અને રાત પડી ગઈ હતી ,પછી તે એક શિવ મંદિરમાં જાય છે. ગુણાનિધિએ વિચાર્યું કે આ મોડું થઈ ગયું છે, તેથી આ મંદિરમાં આરામ કરવો યોગ્ય રહેશે,પરંતુ રાત્રિનો સમય હતો અને અંધકાર ઘણો હતો, તેથી તેણે મંદિરમાં પોતાના શરીર પરનું વસ્ત્ર કાઢી જલાવી દીધું અને મંદિરમાં અજવાળું કર્યું,એ રાત્રે ભગવાન શિવરાત્રીએ શિવલિંગ સામે પ્રકાશ થયો જેના કારણે ગુણાનિધિને તેના આગલા જન્મમાં ભગવાન કુબેરનું પદ મળ્યું.
આ કથા અનુસાર,વ્યક્તિએ દરરોજ રાત્રે શિવ મંદિરમાં જઇ ભગવાન શિવ સામે દીવો કરવો જોઈએ,પ્રભુ તેને ધન અને સંપત્તિ આપશે,જો તમે નિયમિતપણે રાત્રે શિવલિંગની સામે દીવો પ્રગટાવો.અને દીવો પ્રગટાવતી વખતે “ૐ નમ: શિવાય” મંત્રનો જાપ કરવો.માત્ર આ એક જ પ્રયોગથી તમારા જીવનમાંથી પૈસાની કમી હશે તો દૂર થશે અને મહાદેવના આશીર્વાદ મળશે.
આવા તો અનેકવિધ દ્રષ્ટાંતો અને મનુષ્ય જીવનને ઉત્તમ બનાવવાના સૂચનો આ પુરાણમાં દર્શાવવામાં આવ્યા છે...
તો બસ,મહાદેવની મસ્તીમાં મસ્ત રહો..
ભોળાનું નામ જપતા રહો...શિવમહાપુરાણનો મહિમા ગાતા રહો...
જય ભોળાનાથ...
હર...હર...મહદેવ...હર...