સાજા-થાઓ
જો કાયમ માટે, કોઈને કોઈના વિશે સારા કે ખરાબ વિચારો આવતાં હોય
વેર ભાવથી કોઈનું ખરાબ કરવાનાં,
કે ખાલી દેખાડા માટે કોઈનું સારૂં કરવાનાં વિચારો જો કોઈને સતત આવતાં હોય
દુશ્મનની કોઈ એક-બે સારી બાજુ,
કે દોસ્તની કોઈ એક-બે ખરાબ બાજુ જો કોઈને નડતી હોય
તો આવો રોગ,
ત્વરિત નહીં પરંતું લાંબે ગાળે
જે તે વ્યક્તી માટે કે તેનાં પરીવાર માટે ખુબજ દુઃખદ
તેમજ
ઉપરવાળાએ આપેલ મનુષ્ય અવતારનું
ઘોર અપમાનથી વિશેષ રહેતું નથી
આમાંથી આજે અત્યાંરેજ ત્વરિત બહાર આવવું પોતાના માટે તેમજ સમાજ માટે ખુબજ જરૂરી થઈ જાય છે
માટે આ પરિસ્થિતીમાંથી જે તે વ્યક્તી બહાર આવી "સાજા થશે તેજ દિલનો રાજા થશે"
#સાજા -થાઓ