આપણે રોજ બરોજ ની જીંદગી માં ઘણી વાર એમ બોલતાં હોઈએ છીએ કે જવા દો કે રહેવા દો એમનાં જેવું કોણ થાય. એમનાં જેવું આપણે ના થવાય અને એમના જેવા થઈ શું તો આપણા માં ને એમનાં કોઈ ફર્ક નહિ રહે. કેમ?આપને માટી ને એ સોનાં ના?
પણ, યાદ રાખજો આજ લોકો આપણી આજ સારપ નો ગેરફાયદો લઈ ને આગળ જતાં આપણી ખૂબ મતલબ ખૂબ મેથી મારે એટલે આપણે પણ કંઇક એવો ચમત્કાર આપવા નો કે જિંદીભર એવું કરવા નું ભૂલી જાય કેમ કે આ દુનિયા અને દુનિયા ના લોકો જ્યાં સુધી ચમત્કાર નહિ આપો ને ત્યાં સુધી તો નમસ્કાર નહિ જ કરે.એટલે આવા લોકો ને રોજે રોજ નહિ પણ ક્યારેક ક્યારેક નાના મોટા ચમત્કાર આપતા રહેવું નહિતર માથે ચડી જાય.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
કેશર કુંજ