ભગવાન પછી જો કોઈ પુજયનીય અને મહાન હોય તો તે એજ વ્યક્તિ છે.જે કોઈ અન્ય વ્યક્તિ થકી જાણતાં કે અજાણતાં કરવામાં આવેલી ભૂલ ને સહ હૃદય થી માફ કરી શકે છે.
કેમ કે માફી તો કોઈ પણ માંગી શકે છે.પણ ખરેખર માફ તો એજ વ્યક્તિ કરી શકે કે જેના ભીતર માં ક્યાંક ને ક્યાંક પરમાત્મા નો વાસ રહેલો છે,એજ માફ કરી શકે છે.બાકી
બધાં નહિ.અને જેટલું અન્ય વ્યક્તિ ની ભૂલ ને માફ કરતા જશો એમ એમ આપણું હ્રદય પણ એક દમ સ્વસ્છ, નિર્મળ અને કોમળ થઈ જશે.અને મન પર કોઈ પણ પ્રકાર નો ભાર પણ રહેશે નહિ. મન એક દમ સ્વસ્થ રહેશે.
અને મન જેટલું સ્વસ્થ હશે એટલું જ તન અને જીવન પણ સ્વસ્થ, સુખમય અને શાંતિમય રહેશે.
🙏🙏🙏🙏🙏🙏
કેશર કુંજ

Gujarati Thought by Twinkle chavda : 111507409

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now