જેના માટે સરકારે આટલા ખર્ચ્યા, જેમને માટે શ્રમિક સ્પેશિયલો દેશના એક થી બીજે છેડે દોડાવી, જેઓ ભૂખ્યા ન રહે તે માટે જોખમ લઈ અનલોક કર્યું- મોટે ભાગે તે શ્રમજીવીઓ જ માસ્ક વગર જ ફરતા ને ફરીથી જ્યાં ત્યાં ખાઈને કચરો કે ચા પીને પૂંઠા કમ પ્લાસ્ટિકના કપ ફેંકતા અને દેખાવ પરથી હાથ ધોવા તો ઠીક, ફરી નાહયા વગર ફરતા હોય તેવા રોજ સામે મળે છે. તેઓને જીવનની ન પડી હોય તો એમ, નિર્દોષ પ્રજાનું ખૂન કરવા શા માટે નીકળી પડ્યા છે? કાલે મોદીએ હાથ જોડી કહ્યું પણ તેમને કોઈ ફરક પડતો નથી. ફરીથી મોટા ભાગના અન્ય ઉત્તરીય રાજ્યોમાંથી આવેલા દેખાય છે.
કોરોના એ ટાઇફોઇડ નહોતો કે પંદર દિવસ દવા લઈ મટી ગયો એટલે જે હતી એ જિંદગી. પોતે મરશો ને બીજાને મારશો.