" બ્રહ્મ સમય "
પ્રાર્થના એ મનનો ખોરાક છે. પરમાત્માને મળવાની હોટ લાઈન છે. પ્રાર્થના દ્વારા પ્રભુમય બની શકાય છે.
પ્રાર્થના માટે બ્રહ્મ સમય એ શ્રેષ્ઠ સમય છે. પરોઢના સમયને બ્રહ્મ સમય કહેવામાં આવે છે.
આ સમયે લગભગ મોટા ભાગના માણસો સૂઇ ગયેલા આપણને જોવા મળે છે તેવા સમયે આપણે જો પરમાત્માને યાદ કરીએ તો આપણી લાઈન તરત જ પરમાત્મા સાથે જોડાઈ જાય છે. અને આપણે પરમ સુખ અને પરમશાંતિની પ્રાપ્તિ કરી શકીએ છીએ.
- જસ્મીન