વિશ્વનો મહા ગ્રંથ *મહાભારત* વાંચવા-સમજવા- શિખવા જેવો સમય અને રસ ના હોય, તો પણ, તેના માત્ર ૯ સાર-સુત્રો જ,
દરેકના જીવનમાં ઘણા *ઉપયોગી* નીવડે તેવા છે ..
--------------------------------
*૧)* સંતાનોની ખોટી જીદ અને માંગણીઓ ઉપર, તમારો જો સમયસર અંકુશ નહિ હોય તો,
જીવનમાં છેલ્લે તમે નિ:સહાય થઈ જશો = *કૌરવો*

*૨)* તમે ગમે તેટલા બલવાન હો,પણ તમે અધર્મ નો સાથ આપશો તો, તમારી શક્તિ, અસ્ત્ર -શસ્ત્ર, વિધા,વરદાન, બધું જ નકામું થઈ જશે. = *કર્ણ*

*૩)* સંતાનો ને એટલા મહત્વાકાંક્ષી ન બનાવો,
કે વિદ્યાનો દુરૂપયોગ કરીને સર્વનાશ નોતરે = *અષ્વત્થામા*

*૪)* ક્યારેય કોઈને એવાં વચન ના આપો, કે જેનાથી તમારે અધર્મીઓની સામે સમર્પણ કરવું પડે = *ભીષ્મપિતા*

*૫)* સંપત્તિ, શક્તિ, સત્તા, સંખ્યાનો દુરુપયોગ, અને દુરાચારીઓનો સથવારો, અંતે સર્વનાશ નોતરે છે = *દુર્યોધન*

*૬)* અંધ વ્યક્તિ .. અર્થાત્ ..સ્વાર્થાંધ, વિત્તાંધ, મદાંધ, જ્ઞાનાન્ધ , મોહાન્ધ અને કામાન્ધ વ્યક્તિના હાથમાં સત્તાનું સુકાન ના સોંપાવુ જોઈએ, નહીં તો તે
સવઁનાશ નોંતરશે . = *ધ્રુતરાષ્ટ્ર**

*૭)* વિદ્યા ની સાથે વિવેક હશે તો, તમે અવશ્ય વિજયી થશો - = *અર્જુન*

*૮)* બધા સમયે-બધી બાબતોમાં છળકપટથી,
તમે બધે ,બધી બાબતમાં, દરેક વખત સફળ નહીં થાવ = *શકુનિ*

*૯)* જો તમે નીતી/ધર્મ/કર્મ સફળતા પુર્વક નિભાવશો તો, વિશ્વની કોઈ પણ શક્તિ, તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે = *યુધિષ્ઠિર*

Gujarati Quotes by Umakant : 111489925

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now