शाम-ए-महेफिल !
કકડીને ભૂખ લાગે
તો માનવું કે તમે ટાટા છો,
ઘસઘસાટ ઊંઘ આવે
તો માનવું કે તમે બિરલા છો.
કોઈ બીમારી વળગી ન હોય
તો માનવું કે તમે અંબાણી છો,
કોઈ ખોટી નિંદા કરે ત્યારે પણ સ્વસ્થ રહી શકો
તો માનવું કે તમે કુબેર છો,
કોઈને છેતરતી વખતે ખચકાટ થાય
તો માનવું કે તમે સજ્જન છો,
અને છેલ્લે:
જો ઘણુંખરું આનંદમય રહેતા હો,
તો માનવું કે તમે 'તમે' છો !