મારી દ્રષ્ટિએ એક લેખક એ હૃદય જેવો
અને એનું લખાણ એ એનાં શ્વાસ જેવું હોય છે.

વ્યક્તિ જિંદગીના ઢોળાવો પર
જેમજેમ ચડ-ઊતર કરતો જાય,

તેમતેમ શ્વાસરૂપી લખાણનો વેગ પ્રબળ બનતાં,
હૃદયરૂપી લેખક વધુ ને વધુ સચોટ, પુખ્ત,ધારદાર
અને અર્થસભર થતો જાય છે.

લેખક કે કવિ હંમેશા હાંફતો સારો!
તો જ હાંફવા-હંફાવવાનું ટીંપુ,
એનાં માનસ અને હૃદયપટલ પર અંકિત થશે.

હાંફવાની આ સંઘર્ષયાત્રા,
અક્ષરોની આનંદયાત્રામાં જો પરિણમે
તો પછી શબ્દેશબ્દમાં શ્યામ મુરારી વસે...!

- પંકિલ દેસાઈ

Gujarati Blog by Pankil Desai : 111485123
Pankil Desai 4 years ago

આભાર બાપુ 😁

Pankil Desai 4 years ago

ખૂબ ખૂબ આભાર 😁

Pankil Desai 4 years ago

આભાર 😇🌺

Jalpa Sheth 4 years ago

અદ્ભુત....

Sagar 4 years ago

ખૂબ સરસ....👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now