મનુષ્ય અવતારમાં કેટલાક સંબધો અને જન્મ સાથે મળે છે.પોતાના માતાપિતા કે ભાઈભાંડુ નક્કી કરવાનો અધિકાર નથી મળતો માણસને! માં બહેન અને પરિવાર ના અન્ય સંબંધો માણસ જાતે નિશ્ચિત નથી કરી શકતો,પરંતુ એના જીવન ના ત્રણ સ્ત્રીસંબંધો એવા હોય છે કે જેની પસંદગી મનુષ્ય કરી શકે છે.એક પત્ની, પ્રિયતમા અને મિત્ર- આ ત્રણ સંબંધો માણસ જાતે મેળવે છે.જાતે સાચવે છે, જાતે રચે છે, અને જાતે નષ્ઠ કરે છે... કૃષ્ણાયન