" પ્રેમની વફાદારી...!! "
જેને સાચા દિલથી, હ્રદયના ઉંડાણથી ખૂબજ પ્રેમ કર્યો હોય તેના તરફથી સ્વાભાવિકપણે જ વફાદારીની અપેક્ષા રખાઇ જાય છે...!!
નિરવ ખૂબજ પ્રેમ કરતો હતો કશીશને. કશીશનું પણ એવું જ હતું, તે પણ નિરવને દિલોજાનથી બેપનાહ મહોબ્બત કરતી હતી. બંને એકબીજાનામાં ભળી જવા માંગતાં હતાં પણ અચાનક નિરવને જોબ માટે બહારગામ જવાનું થયું....કશીશ તેના આવવાની રાહ જોઈને બેઠી હતી.
એક દિવસ નિરવ આવ્યો પણ ખરો પરંતુ તેનો જવાબ સાંભળીને કશીશ ચોંકી ઊઠી....નિરવે તેને કહ્યું કે, " કશીશ હું મજબૂર છું અને તારી સાથે મેરેજ નહિ કરી શકું અને આજ પછી તું મને ફોન પણ કરતી નહીં..! "
કશીશને શું કરવું કંઇજ સમજાતું ન હતું. કાયમ માટે જે નિરવ વફાદારીના દાખલા આપ્યા કરતો હતો તે આમ અચાનક બેવફા કેમ થઈ રહ્યો હતો. તે પ્રશ્ન કશીશને હજી પણ મુંઝવી રહ્યો હતો.
કશીશને પોતાના પ્રેમ ઉપર ખૂબ વિશ્વાસ હતો અને તે હજી પણ નિરવના પાછા આવવાની રાહ જોઈ રહી હતી. અને પછી તેણે એક દિવસ થાકીને ઘણીબધી રાહ જોયા બાદ નિરવને ફોન કર્યો તો ખબર પડી કે તેને કેન્સર થયું હતું અને તે તેના જીવનના છેલ્લા શ્વાસ ગણી રહ્યો હતો. કશીશ ખૂબજ રડી પડી તેને નિરવની વફા ઉપર શંકા કરવા બદલ ખૂબજ પસ્તાવો થયો અને બંનેના પ્રેમની વાબદારી હજીપણ બંનેના હ્રદયમાં જીવંત રહી....
- જસ્મીન