આટલા દિવસ ના આ અચાનક આવેલા લોકડાઉન થી આપણે શું શીખ્યા?
કશું જ નિશ્ચિત નથી. ના જીવન ના મૃત્યુ.. ના આજ, ના કાલ.. શોખ ને આજે જ જીવી લો.. શુ ખબર કાલ પડશે કે નહીં!
નવા કપડા, મોંઘી ઘડિયાળો,ઘરેણાં, ગાડી , બંગલા કોઈ વસ્તુ ની સામે નહિ જોવાય.. અંતે કામ લાગશે બેઝિક રોટી, કપડાં ઓર મકાન.
દુઃખ, સુખ, ભવિષ્ય કઈ છે જ નહીં.. જે છે એ આજ છે. પ્લાનિંગ તમારી કદી ચાલ્યું નથી ને ચાલવાનું પણ નથી. તમે બસ જીવો, ખુશ રહો, મોજ કરો, કામ કરો, અઢળક પુરુષાર્થ કરો. તમારુ કાલ નક્કી કરવા વાળો એક જ છે ને એક જ રહેશે.
તો બસ એક નિયમ લઈ લઈએ દેખાડાના જીવનમાંથી ઉપર આવી, પોતાના અને પોતાનાઓ માટે જીવીશું...