#શરૂઆત
સાત બાય સાતની ચાલીમાં આખી જિંદગી કાળીમજૂરી કરી અત્યંત દારુણ અવસ્થામાં તે અંતે ભગવાનને પ્યારો થઈ ગયો.જીવનપુષ્પ મૂરઝાતા તેનાં પાર્થિવ દેહને લઈ જવા અંતિમ યાત્રાની 'શરૂઆત' થઈ. ચાર રસ્તે તેનાં પાર્થિવ દેહને "એ.સી. સ્વર્ગવાહિની"માં મૂકવામાં આવતાં અંતિમ દર્શનાર્થે આવેલા લોકો ગણગણાટ કરવા લાગ્યા:"જીવતે જીવ તો નહિ પણ મૃત્યુને અંતે તેને પ્રમોસન મળ્યું"