જીવનમાં અમુક વમળ એવા પણ આવે...

જ્યાં ડૂબી ન શકાય કે ના તરી શકાય,
જ્યાં આગળ વધી ન શકાય કે ના અટકી શકાય,
જ્યાં વિચારોમાં ન વહાય કે ના થંભી શકાય,
જ્યાં સમર્પિત ન થવાય કે ના માલિક બની શકાય,
જ્યાં જીવી ન શકાય કે ના મરી પણ શકાય...

અરે એ વમળને કોઈ બીજા વમળથી વિખરાવાની તક અને સમય આપવા મન સદા તત્પર કેમ નથી બની શકતું?

જે વિખેરાઈને જાતે સમેટાઇ જતી હોય એવી આકાશની વાદળી મુબારક...!

Gujarati Thought by Riddhi Patoliya : 111456263

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now