કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો,
એ જ ઇચ્છા છે, હવે એ પણ ન હો.
કોઈનામાં પણ મને શ્રદ્ધા નથી,
કોઈની શ્રદ્ધાનું હું કારણ ન હો.
ઝાંઝવાં હરણાં થઈ દોડી ગયાં,
ને હરણને દોડવાને રણ ન હો.
આંધળો વાયુ થઈ ભટક્યા કરું,
જો ફૂલોને એની અકળામણ ન હો.
આપમેળે બંધ દરવાજા થશે.
મોત માટે કોઈ પણ કારણ ન હો.
-રમેશ પારેખ

Gujarati Thought by Kinar Rana : 111451533

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now