પંખીઓને જોઈ મને
આવ્યા ઘણા વિચાર,
નથી બેંકમાં ધન
નથી અનાજ કે ઘરબાર,
શું ખાવા મળશે ને ક્યાં
નથી કોઈ ખબર,
તાપ ને ઠંડી સહન કરે છે
બારેમાસ બેશુમાર,
છતાં સવારે ઉઠી આનંદથી
કરે છે કલબલાટ,
પ્રભુ પર શ્રદ્ધા રાખી
જીવે છે દિવસ અને રાત,
અને દેખો વિશ્વમાં શક્તિશાળી આ માનવજાત,
બધું હોવા છતાંય રોજ કરે છે પ્રભુને ફરિયાદ !!
sneha_

Gujarati Thought by SNEHA CHAUHAN : 111450641

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now