કબુતરો ચકલી પછી માણસનું સહુથી નજીકનું પક્ષી છે. 'પારેવાં' ને ચણ આપી પુણ્ય મેળવીએ પણ એ પક્ષીઓ ગંદકી ખૂબ જ કરે છે. બીજાં કોઈ પણ પક્ષી કરતાં વધુ.
કોરોના ફેલાયો છે તે મારા બોપલના વિસ્તારોમાં કાં તો ઉકરડો નજીક હતો ને કાં તો કબૂતરની હગારથી ગંધાતું ફિલ્ડ.
1. જો તે આપણી ઉપર નિર્ભર પક્ષીને ચણ આપીએ તો એ જગ્યા પાણીનો ફુવારો અને કોઈ disinfectant નો સ્પ્રે કરી સ્વચ્છ પણ કરવાની જવાબદારી આપણી છે.?
2. એવું તો નથીને કે એ પક્ષીની નવી પેઢી આપણી કડક ને કાચી જાર ને અનાજના દાણા પચાવી શકતી નથી એટલે મોટા ભાગનો ખોરાક ચરક રૂપે બહાર કાઢી નાખે છે?
3. બાળક, (કે મારી જેવાને પણ ભાવતું મળે તો) પેટ ભરાયું એ ખબર પડતી નથી. એમ જે લોકો પુણ્ય મળશે માની ચણ નાખે રાખે છે એની quantity થોડા દાણા પૂરતી રાખે.
કોરોના સાથે જીવવું હોય તો સ્વચ્છતાનું આ પાસું ધ્યાનમાં લેવું પડશે.