જય માતાજી 🙏🙏🙏

મારા વિચારો મારી કલમે✍️✍️✍️

હમણાં આ નવરાશની પળોમાં કાંઈક ને કાંઈક લખવાનું થાય છે, મનમાં આવતા વિચારો ને આપ લોકોની સાથે વહેંચવાનું થાય છે. આજે પણ એક વિચાર લખું છે જે જરૂર ગમશે.

લોકડાઉન નો ચોથ્થો તબ્બાકો ચાલી રહ્યો છે. અને કોરોના ના કેસો પણ ઝડપથી વધી રહ્યા છે જે એક ચિંતાનું કારણ છે. ભારત જેવા દેશમાં તો આ લોકોડાઉન કારણે ઘણી આડ અસર પણ થઈ રહી છે. જેમ કે બેરોજગારી, ઉદ્યોગ બંધ હોવાના કારણે આર્થિક નુકસાની, ગરીબોની ભોજનની સમસ્યા, એવા લોકો કે જે રોજ નું કમાઈ ને રોજ ખાતા હોય તેવા લોકો વગેરે વગેરે....અનેક સમસ્યાઓ.........એટલે જ સરકારે મજબૂર થઈ ને અમુક છૂટછાટો આપવી પડી છે.

દરેક રાજ્ય પોતાના રાજ્યની સ્થિતિ પ્રમાણે છૂટ આપે છે જેમાં ગુજરાત સરકારે પણ ઘણી છૂટો આપી છે જેમાં દુકાનો અને ઓફિસો ખુલ્લી રાખવાનો સમય પણ નિર્ધારિત કર્યો છે સવાર ના 8 થી 4 વાગ્યા સુધી બધું ખુલ્લું રાખવું.

જો ઓફિસો બાબત આ સમય કાયમ માટે લાગુ કરવામાં આવે તો બહુ સારું એવું મારો વિચાર છે. દુનિયાના ઘણા દેશોમાં પણ ઓફીસ સમય આ મુજબ નો જ છે સવારે 8 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી. લોકોની કામ કરવાની ક્ષમતા સવાર ભગમાં વધારે હોય છે અને બપોર પછી ઘણી ઘટી જાય છે એ વાસ્તવિક બાબત છે. ઘણાએ આ અનુભવ્યું પણ હશે અને જેણે ના ધ્યાન આપ્યું હોય એ હવે જરૂર આપજો. મોટા ભાગના ખાનગી અને સરકારી ઓફીસ કામ કરતા કર્મચારીઓ તો 4 પછી તો ઠાગા-ઠયા જ કરતા હોય છે અને બસ 6 વાગવાની રાહ જોતા હોય છે આથી એ ઉત્તમ છે કે 4 વાગ્યા પછી છૂટી........જો 8 થી 4 નો ઓફીસ સમય કાયમ માટે થાય તો મને તો બહુ ગમશે તમે શું વિચારો છો એ કહો........

વિશ્વ આરોગ્ય સંગઠને તો કહ્યું જ છે કે આ કોરોના કાયમ લોકોની સાથે જ રહેવાનો છે તો આપણે સામાજિક અંતર પણ કાયમ રાખવું જ જોઈશે.!!!!

જો સરકાર આ બાબતે વિચારે તો બહુ સારું......હાં હાલ તુરંત નહીં પણ આ કોરોના કાળ થોડો હળવો થાય ત્યારે.........

જય માતાજી 🙏🙏🙏

મારા વિચારો મારી કલમે✍️✍️✍️

- જીતેન ગઢવી

Gujarati Thought by Jiten Gadhavi : 111444640

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now