#અંતર્મુખ
કશિષને ક્યારેય અંતર્મુખ રહેવું ગમતું ન હતું. એને તો બધા સાથે હળવું, મળવું, વાતો કરવી વગેરે ખૂબ ગમતું હતું. પરંતુ પોતાના સામાન્ય દેખાવ અને સામાન્ય પહેરવેશ ને કારણે કશિષ ને હંમેશા લોકો ટાળતા હતા. આથી કશિષ ને ખૂબ દુઃખ થતું. ધીરે ધીરે કશિષે પોતાનો સ્વભાવ બદલવાની કોશિષ કરી. એને પોતાનો લખવાનો શોખ કેળવ્યો અને પોતાને બધાથી દૂર કરી દીધી. પણ સ્વભાવ એમ કંઈ થોડો બદલાય હવે એની કલમ બર્હિમુખ થઈ છે.