દુષ્ટતા કોને કેવી કેવી રીતે નક્કી કરશો?
જંગલ માં જ્યારે સિંહ હિરણ ને દોડાવી દોડાવી ને મારી ને ચીરફાડ કરી નાખે છે. ત્યારે હિરણ તેને દુષ્ટતા કહે છે પણ સિંહ ના પરિવાર માટે તે ભગવાન ના આશીર્વાદ ની જેમ જીવન જરૂરી ખોરાક બને છે.
તો શું તમે સિંહ ને દુષ્ટ છે, શું તેનું કામ દુષ્ટતા ભર્યું છે.
લોકો કહે છે, કે કોરોવો દુષ્ટ હતા દુષ્ટતા ભર્યા કામો કરતા , પણ શું તમે નજરે જોયું છે, ના તમને બીજા યે કહ્યું છે અને એમને ક્યાંક વાચ્યું હશે તેમનું સાંભળી બીજા યે લખ્યું હશે.
વિચારો કે કોરવ જીત્યા હોત તો કોરવો ઇતિહાસ માં લખત કે તેમને જે કર્યું ઇ જ પુણ્ય હતું અને પાંડવો દુષ્ટ હતા.
જેમ સિક્કા ના બે બાજુ હોય છે. તેમ માણસ ના કર્મો ના પણ બે બાજુ હોય છે. અને તેનું રૂપ જીતનાર નકી કરે છે.
ફકત એક મિનિટ વિચારો રામાયણ માં રામ ભગવાન હારી ગયા હોત. તો આપણે ખબર જ કેમ પડત કે રાવણે દુષ્ટતા કરી હતી.
આતો વિચાર હતા
હવે સત્ય વાત કરવી
ઘણા લોકો માને છે કે સીતા મા રાવણ આગળ થી પવિત્ર પાછા ફર્યા, તે રાવણ ની મહાનતા હતી.
પણ તમે જાણો છો, રાવણ ને શ્રાપ હતો કે જો તે પર સ્ત્રી સાથે જબરદ્તીથી સબંધ બનાવશે તો તેના સિર ના ટુકડા થઈ જશે અને મરી જશે.
આ શ્રાપ નું કારણ જાણો છો, રાવણ તેની પુત્રવધૂ સાથે જબરદસ્તી સબંધ બનાવવા માટે મળ્યો હતો
તો હવે રાવણ ની આ કામ ને દુષ્ટતા કેશો કેમ
કેમ કે હવે તમે એક કારણ ખબર છે.
સત્ય તો ઇ જ સે કે પાપ પુણ્ય દુષ્ટતા હંમેશા તમારા નજરિયા અને પરિણામ પર જ આપણે જાણે અજાણે નક્કી કરી લેવી સવી.
#દુષ્ટતા