શા કારણે કરે છે દુષ્ટતા તુ ઓ માનવ,,
તને ખબર છે કોઈ દુષ્ટ વધારે ટક્યો નથી..
રાવણની દુષ્ટતા એ તેને મૃત્યુ આપ્યું હતું,,
સ્વયં પ્રભુએ તેને આ સજા આપી હતી..
દુર્યોધનની દુષ્ટતા પણ ક્યાં ટકી હતી,,
યુદ્ધમાં મૃત્યુ માટે તે હાથ જોડતો રહ્યો હતો..
મામા કંસની કથા પણ અજાણી નથી,,
તેની દુષ્ટતા પણ આખરે મૃત્યુનું કારણ બન્યું..
ઓ માનવ તું દુષ્ટતા છોડી દે,,
અને સંસારમાં સૌની સાથે હળીમળીને રહે..
શું ખબર કોણ ક્યારે જરૂરી બની જાય..
#Bhavi
#દુષ્ટતા

Gujarati Motivational by Bhavini Patel : 111427769

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now