ઘણા માનનીય મિત્રો, સ્નેહીઓનો, વડીલો એવું સમજી રહ્યા છે કે અમે માત્ર રૂપિયા ના મળવાથી આહત છીએ.
જ્યારે પણ કોઈપણ પોસ્ટ મૂકીએ ત્યારે એ પૈસા લાવશે કે નહીં એ નક્કી નહોતું એ તો MB ના નિયમો નક્કી કરતા હતા કે મળશે કે નહીં. સ્પર્ધા શિવાય સેંકડો પોસ્ટો મૂકી છે અહીં અને એ પણ મૌલિક. એટલે મને એવું લાગે છે કે આજકાલ સ્પર્ધા થકી સ્પર્ધામાં આવેલા સ્નેહીજનો એ એમની નીતિમત્તા અને મૌલિકતા ચેક કરવી જોઈએ. સાથે MB ના આયોજકોએ નીતિમત્તા અને મૌલિકતા ના પાઠ ભણવા જોઈએ કે જો કોઈએ તમારા બનાવેલા નિયમોથી જીત્યા છે તો તમે આવો અન્યાય ના કરી શકો.
બીજી ખાસ વાત કે આવી સ્પર્ધાઓ માત્ર લેખક માટે ફાયદારૂપ નથી. MB પણ પોતાનો business વધારવા માટે આ બધા પેંતરા કરી રહ્યું છે. એટલે માત્ર નીતિમત્તાના ધારાધોરણ લેખકો ઉપર ઇનામ ના આપવા રાખવા એ અયોગ્ય છે.
આ વિષય અત્યારે મારા માટે આત્મસન્માનનો છે અને એ કોઈપણ ભોગે હું જતો કરવા માગતો નથી.
જય હિન્દ... વંદે માતરમ્...