આપણે ત્યાં સુખ શોધવાનો જાણે રિવાજ લાગે.. માણસ ખુશીઓ શોધવા નીકળી પડે.. અને ન મળે એટલે ફરી એજ.. નિરાશ ને અશાંત... બધા લખે કે આ સુખની ચાવી છે.. અરે મારા ભાઈ, સુખ ને તાળા કોણે માર્યા પહેલા એ તો કહો!
સુખ, આનંદ , ખુશી એ શોધવાનો વિષય જ નથી.. માણવા નો વિષય છે. ગોતવાનો વિષય જ નથી.. અનુભવવાનો વિષય છે. તમે તમારી જાતને સવારે અરીસા માં જોઈ ખુશ ન થઈ શકતા હોવ તો ધૂળ પડી તમારા જીવન માં... હવે તમને ભગવાન પણ ખુશ ન કરી શકે.
#ખુદ ને ખુશ રાખો ને ખુદ થી ખુશ રહો
#આનંદ