#અકથિત લાગણીઓનો....
સમૂહ જ્યારે ભેગો થાય છે
ત્યારે તેમાંથી અકલ્પ્ય રચના
રચાય છે...
જ્યારે અકથિત લાગણીઓનો....
સમૂહ વિખરાઈ જાય છે
ત્યારે ચિત્કાર નો કટાક્ષ
રચાય છે....
જ્યારે અકથિત લાગણીઓનો....
સમૂહ દિલ સુધી પહોંચે છે
ત્યારે સ્નેહ ના અંકુરો ની
કૂંપણો ફૂટે છે....