થોડો ગુસ્સો ઠાલવાનો મૂડ બન્યો છે. તો ઠાલવું છું.

સવ થી પહેલા તો મને એ નથી સમજાતું કે આ મોદી ને સલાહ દેવા વાળા તેના મન માં પોતાની જાત ને સમજે છે શું ? ઓલો બાપ મોદી 60 વરહ થી રાજ કરતી કોંગ્રેસ ને ઉભા ઉભા ઓગાળી ગયો અને ડકકાર પણ નથી મારતો, પાકિસ્તાન જેવા દેશ ને ક્યાંય નો ના રાખ્યો, કાશ્મીર, રામ મંદિર જેવા પ્રશ્નો નું શાંતિ થી નિરાકરણ લાવી દીધું, અને અંદર ખાને તો કેટલાય આવા કામ કર્યા હશે જેની આપણે ખબર પણ ના હોય, તેવા માણસ ને આ નક્કામીના જેને આવતા મહિને હપ્તો કેમ ભરવો એ ખબર નથી એ સલાહ દેવા જાય છે કે થાળી વગાડી ને શુ થયું ને દિવા કરી ને શુ થયું ? કેમ ભાઈ તારા માં જ બુદ્ધિ છે ? ઘર ની બાયું સામે બોલી ના સકતા હોય તેવા આયા આવીને એવી હોંશિયારી ઠોકે જાને પોતે એક બે દેશ નો પ્રધાન મંત્રી હોય,

પાછા સલાહ દે કે મંદિર કરતા દવાખાના ખોલાય ને... એ નથી દેખાતું કે "દરેક દવાખાના માં તો એક મંદિર કેમ ખોલે છે ડૉક્ટર ?"
હવે જ્યારે ઓલું માં અમૃતમ કાર્ડ લઈને દવાખાને જાવ ને ત્યારે જોજો ત્યાં એક મંદીર પણ હશે જ.

પાછા અમુક તો એવું લખે કે થાળી વગાડી ને દિવા કર્યા પણ કોરોના ગયો નહીં, આવા ને એવું કેવા કોણ જાય છે કે થાળી વગાડવાથી કે દિવા થી કોરોના વઇ જશે ? બુદ્ધિ ના બારદાન પોતે ને પોતે કાંઈક વિચારી ને પોતેજ તેના વિરોધ કરે બોલો,

આ બધું તો અત્યારે જે દવાખાના માં, રોડ પર પોલીસ કે કામ કરે છે, જે સરકારી તંત્રો ની ટિમો કામ કરે છે તેને કેવા માટે છે કે અમે તમારી સાથે છે, અને એક લીડર તરીકે મોદી આ વસ્તુ સારી રીતે જાણે છે કે આ ડૉક્ટર, નર્સ, પોલીસ છે તો આટલું કન્ટ્રોલ માં છે બાકી જરા વિચારી જુઓ, આ કોઈ ના હોય તો આ દિવા ઘણા ની છબીઓ સામે કરવા પડ્યા હોત,

પેલી વાત સાચી છે 'common sence is not common"

આ પરિસ્થિતિ માં કાઈ બોલતા ના આવડે ને તો મુગું મરાય, મોદી ને શિખામણ દેવાની ઔકાત trump માં પણ નથી તો આપણા જેવા રોજે રોજ નું કમાય ને ખાવા વાળા માં શુ હોય ?

તમે ઘર માં અંદર રહો કે ના રહો, ઔકાત માં તો રયો.

શેર કરો એની માં.....બધા ના ફ્રેન્ડ લિસ્ટ માં કોઈ ને કોઈ તો હશે કોરોના જેવો.

સંદીપ ના રામે રામ.

Gujarati Thought by Ssandeep B Teraiya : 111387067

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now