"કવિ બને છે,"
જન્મથી જીંદગી જ્યારે ઉગી નીકળે.
ત્યારે માણસ કવિ બને છે.
શરું થયેલ વિચાર જ્યારે અંતે પીગળે.
ત્યારે માણસ કવિ બને છે.
પરોઢે રવિ સોનેરી કિરણ સંગ નીકળે,
ત્યારે માણસ કવિ બને છે.
પ્રેમના પ્રાંગણ જ્યારે પ્રણય બની ઝળકે,
ત્યારે માણસ કવિ બને છે.
જીંદગીની જંગ જ્યારે યુદ્ધે ચડી પ્રારંભે,
ત્યારે માણસ કવિ બને છે.
✍️ગિરીમાલ સિંહ ચાવડા "ગીરી"
#પ્રારંભ