પાણીની વાત કર પછી અમરતની વાત કર,
સઘળી મમત ભૂલીને પછી સતની વાત કર.

આખી કુરાન સમજી શકું એ ગજું નથી
ઉપદેશ છે સબરનો એ આયતની વાત કર.

મૂર્છા જ છે આ આયખું એવી ખબર તો છે,
સંજીવની મળે નહીં, પર્વતની વાત કર.

જો વાત હોય ત્યાગ તણી, ગર્વ ના કરીશ
છૂટી હતી જે માંડ એ આદતની વાત કર.

ખાટી ને ખારી હોય જો ઘટમાળ રોજની
તો ખાંડ નાખ સ્મિતની ને શરબતની વાત કર.

રેતી ઉપર લખેલ એ અક્ષર ઉડી જશે,
આતમ ઉપર જે કોતરી સંગતની વાત કર.

તું મળ મને એ રીતથી કે દેહ ના મળે,
છે ચાહતોથી દૂર એ ચાહતની વાત કર.

- પ્રજ્ઞેશ નાથાવત 'પગુ'

Gujarati Shayri by Pragnesh Nathavat : 111331166

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now