તમે જો ન આવ્યા હોત મારા જીવન પ્રાંગણમાં,
ન  ફેલાયો  હોત  આ  અંધકાર   હૃદય  ખંડમાં.

રહી  જે  ચિનગારી  હૃદયે  દબાઈને   યાદમાં,
ફરીથી ભભકાવી  દીધી  દઈ તમે  લોબાનમાં.

હું  ફૂલો  પથરાવું  આવતા   મોઘમ  ઇશારામાં,
ન જોતા વાટ ક્ષણ છું, એવું કહી  ગયા  કાનમાં.

હતા છૂપા ઘણા મતભેદો વણ વાંચી  આંખમાં,
કહી દેવાયા મત્લા  થી  મકતા સુધીની વાતમાં.

લહેરો  તારી  "સાગર"  ઉઠાવ નઈ ઊંચાણમાં,
દબાઈ  જઈશ  ઊંડાણે  તું  તારાજ વદનમાં.


        :-   જલ સાગર

Gujarati Poem by Sagar Jal : 111294270

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now