પ્રવાહિત હોવું સ્વભાવિક છે, પ્રકૃતિ માં,
રેખાંકન હોવું, સ્વભાવિક છે, પ્રકૃતિ માં;

કર્મો ના લેખા- જોખા, છે સ્વયં નાં સહજ,
કર્મ લોકમાં સ્વભાવિક કર્મ છે, પ્રકૃતિ માં;

સત્વ રજસ તમસ, ત્રણેય ગુણ સંચાલિત,
પંચીકરણ પાંચ તત્વો નું સ્વરૂપ ,પ્રકૃતિ માં;

અક્થ્ય છે ગુણાતીત સ્થિતિનું વર્ણન અહીં,
મનોલયે પ્રકાશિત આત્મા સ્વયં ,પ્રકૃતિ માં;

આનંદ સ્વરૂપ નીજ, અપરોક્ષ અનુભૂતિ છે,
ત્યાગ વૈરાગ્ય થી પાર , સ્વયં એ ,પ્રકૃતિ માં,

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111273411

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now