જીવી જુઓ કોઈ એકલવાયું જીવન,
આમ,જેમ જીવ્યું પોતે જ મારા માધવે
મોરલી રાખી અધરે પ્રહષઁ કર્યા બધાને,
તૃષ્ણા ત્યાગી પોતાની જ મારા માધવે
હર્ષ રાખી પોતાના મુખ પર બીજા માટે,
મીઠા ગોરસ ખવડાવ્યા સૌને મારા માધવે
અળગો ન થવા દીધો મેં મારા હૈયાથી
આખું જીવન કષ્ટ વેઠ્યુ છે મારા માધવે
હું રાધા, ને મને તો તૃપ્તિ ત્યારે જ મળી
જ્યારે ભેળવી મને એનામાં મારા માધવે
-કુંજદીપ ?