......#..... ઋગવેદ......#....(ભાગ -૨ )
# મંડલ ક્રમ આધારિત ઋગ્વેદ વિભાજન :
મંડલ ક્રમ પ્રમાણે ઋગ્વેદને મંડલ-અનુવાક-સૂક્ત-ઋચાઓ ક્રમમાં વિભાજીત કર્યો છે.
મંડલની સંખ્યા 10 છે. મંત્રોની ચોક્કસ સંખ્યાનાં સમૂહ ને સૂક્ત નામ આપવામાં આવ્યું છે , આ સૂક્ત ના ચોક્કસ સંખ્યાનો સમૂહ તે અનુવાક.
સરળ રીતે મંડલ ક્રમ આ રીતે દર્શવી શકાય:
મંડલ - 10
અનુવાક - 85
સૂક્ત - 1028
મંત્ર સંખ્યા - 10552
મંડલ ક્રમમાં દરેક મંડલનાં ગ્રથનકર્તા ઋષિઓ છે. મંડલ પ્રથમ, આઠમું, નવમું અને દસમાંનાં ગ્રથનકર્તા ઋષિઓ એક કરતા વધારે છે.
જયારે મંડલ બીજા થી સાતમાંનાં ગ્રથનકર્તા ઋષિઓ એક જ છે :
બીજું મંડલ - ગૃત્સમદ ઋષિ
ત્રીજું મંડલ - વિશ્વામિત્ર ઋષિ
ચોથું મંડલ - વામદેવ ઋષિ
પાંચમું મંડલ - અત્રિ ઋષિ
છઠ્ઠું મંડલ - ભરદ્વાજ ઋષિ
સાતમું મંડલ - વસિષ્ઠ ઋષિ
અને આમાં એમના ગોત્ર, પરિવાર કે શિષ્યો સિવાયનાં કોઈ વ્યક્તિને સામેલ નથી કરવામાં આવ્યાં. આથી આ બીજા થી સાતમાં મંડલને કુળમંડલ, વંશ મંડલ, ગોત્ર મંડલ, પરિવાર મંડલ તરીકે ઓળખવામાં આવે છે.
આ 10552 ઋગ્વેદ મંત્રોને 'ઋગ્વેદસંહિતા' કહેવામાં આવે છે. દરેક વેદસંહિતાનાં પોતાના સ્વતંત્ર બ્રાહ્મણગ્રંથો, આરણ્યક ગ્રંથો, ઉપનિષદો, કલ્પસુત્રો, પ્રાતિશાખ્ય અને અનુક્રમણિ છે. આ બધું મળીને જે તે વેદનું સંપૂર્ણ સાહિત્ય બને છે.
# ઋગ્વેદમાં દેવતાઓની સ્તુતિ :
ઋગ્વેદમાં વિવિધ દેવતાઓની સ્તુતિ કરવામાં આવી છે,આ સ્તુતિ દ્વારા પરમજ્ઞાન આપવામાં આવ્યું છે. ઋગ્વેદનાં ઋષિઓએ બ્રહ્માંડમાં ત્રણ સ્થાનનાં આધારે દેવતાઓની સ્તુતિ કરી છે,
જેમકે,
૧) સ્વર્ગલોક સ્થાનીય દેવતાઓ :
મિત્ર, વરુણ, સૂર્ય, સવીતૃ, પુષન, અશ્વિનૌ, ઉષા, રાત્રિ વગેરે,
૨) અન્તરિક્ષ સ્થાનીય દેવતાઓ :
ઇન્દ્ર, વાયુ, પર્જન્ય, આપ, અપાંનપાત, રુદ્ર, મરુદગણો વગેરે.
૩) પૃથ્વી સ્થાનીય દેવતાઓ :
પૃથ્વી=ભુમિ, અગ્નિ અને સોમ વગેરે.
ઋગ્વેદમાં પ્રકૃતિનાં તત્વોની, પ્રાણીઓની પણ દેવતાં તરીકે સ્તુતિ કરવામાં આવી છે જેમ કે નદી-વિશ્વામિત્ર સંવાદ સૂક્ત (ઋ. 3/33) માં વિપાટ અને શુતુદ્રી નદીઓની દેવતા તરીકે સ્તુતિ કરી છે તો સરમા-પણિ સંવાદ સૂક્ત (ઋ. 10/108) માં દેવોની દૂતી બની પણિ રાક્ષસો પાસે સંદેશો લઇ ને જતી સરમા કુતરીને પણ દેવતા કહી છે. આનું કારણ શું!??
એનો જવાબ છે કે ઋષિઓ બધું જ ઈશથી વ્યાપ્ત રહેલું કહે છે, બધું જ બ્રહ્મથી વ્યાપ્ત છે, બ્રહ્મ એટલે ચૈતન્ય. એટલે ચૈતન્ય જેમાં જેમાં છે અને એને સૂક્તમાં સાંકળવામાં આવ્યું છે એ તમામ ને દેવતા કહ્યા છે.
# ઋગ્વેદનાં પદ્યાત્મક મંત્રો :
ઋગ્વેદનાં મંત્રોને ઋચા કહેવામાં આવે છે. ઋગ્વેદનાં મંત્રો પદ્યાત્મક=છંદોબદ્ધ છે.
ઋગ્વેદનાં મંત્રો ગાયત્રી, ઉષ્ણિક, અનુષ્ટુપ, બૃહતી જેવાં 24 વૈદિક છંદો થી ગેયાત્મક છે.
છંદોજ્ઞાન વગર ઋગ્વેદ મંત્રોનું ગાયન શક્ય નથી બનતું.
# ઋગ્વેદનાં સુકતોનાં પ્રકાર :
એક રીતે સમગ્ર ઋગ્વેદમાં સ્તુતિ સુકતો છે. પણ આ સ્તુતિ સુક્તોમાં પણ પ્રકાર પડે છે જેમ કે,
- કાવ્યસૂકતો
- પ્રકૃતિસૂકતો
- પ્રાર્થનાસૂકતો
- સંવાદસૂકતો
- દાર્શનિકસૂકતો
- ઐતિહાસિકસૂકતો
- ધર્મનિરપેક્ષસૂકતો
- વ્યાવહારિકસૂકતો.
"અસતો મા સદ્ગમય" આ વાક્ય પણ ઋગવેદનું જ છે...
શુભસ્તુ...
જય ભોળાનાથ...
હર હર મહાદેવ.... હર...