કહેવત :
જમને તેડું નહીં ને બાવળિયાને ખેડુ નહીં.
વિવરણ :જમને એટલે કે મોતને બોલાવવા માટે નિમંત્રણ પાઠવવું પડતું નથી. એવી જ રીતે, ઠેકઠેકાણે ઉગી નીકળેલા બાવળિયાને કોઈ ખેડૂતની જરૂર હોતી નથી. એ પોતાની મેળે જ ફૂટી નીકળે છે અને પછીય ફાલવા માંડે છે. પરંતુ આ કહેવતમાં ઈશારો કુદરતી ક્રમ કે કુદરતની ગતિ તરફ છે. માણસ ગમે તેટલો શક્તિશાળી હોય તો પણ મોત સામે તેના હાથ હેઠા પડે છે.