#કાવ્યત્સવ - ૨
"ગણેશવિસર્જન"
સત અસત વિચારના દંભથી,
ખુશ રહે છે માનવી....
સૂકો રોટલો ગાયને અર્પીને,
ખુશ રહે છે માનવી....
અચિત્ત મનની કીર્તન પૂજાથી,
ખુશ રહે છે માનવી....
છેતરી જાતને ખોટા ગુમાનથી,
ખુશ રહે છે માનવી....
"દોસ્ત" વિસર્જન હતું,
રાગ-દ્રેષ-પાપ-કપટનું પણ,
ગણેશવિસર્જનથી
ખુશ રહે છે માનવી....
-"દોસ્ત"