#કાવ્યોત્સવ_૨
#kavyotsav_2

#ભાવનાત્મક

મા

તારા વિશે શું લખું મા ?
તું તો મારી અંદર વસે છે
એટલે જ તું મારી વાતને
આંખો વાંચીને જ સમજી શકે છે..

તું તો મારા મનમાં રહે છે
એટલે જ તો મને હંમેશાં
હિંમત અને વિશ્વાસ મળતા રહે છે...

તું તો મારા હદયમાં રહે છે
એટલે જ તો મારા બોલમાં
તારો સ્નેહ અને આદર છલકે છે...

તું તો મારા અંતરમાં રહે છે
એટલે જ તો મારા કર્મમાં
તારા સંસ્કાર દીપે છે...

ડો.સેજલ દેસાઈ
સુરત

Gujarati Poem by Dr Sejal Desai : 111166970

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now